Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

રાજકોટ-અમરેલીના પૂર્વ હિસાબી અધિકારી

નાણા વિભાગના નાયબ નિયામક એન. જે. ગોહિલનો જન્‍મદિન

રાજકોટઃ ગાંધીનગરમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ શહેરી વિકાસ મિશનના ભૂતપૂર્વ નાયબ નિયામક પ્રતિભાવંત અધિકારી શ્રી એન. જે. ગોહિલ આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે તેમનો જન્‍મ તા. ર જુલાઇ ૧૯૭૬ના દિવસે થયેલ. આજે ભાવ પ્રભાવથી ભરપુર જીવનના ૪૭માં વર્ષની કેડીએ કદમ માંડયા છે તેઓ હાલ નાણા વિભાગમાં ગવર્મેન્‍ટ ઓર્ગેનાઇઝેશન સેલના નાયબ નિયામક તરીકે ફરજ બજાવે છે.
શ્રી એન. જે. ગોહિલ મૂળ અમરેલીના વતની છે. ભૂતકાળમાં અમરેલી અને રાજકોટ જિલ્લા પંચાયતમાં હિસાબી અધિકારી, સુરેન્‍દ્રનગરમાં કાર્યકારી હિસાબી અધિકારી, જુનાગઢ મ્‍યુ. કોર્પોરેશનમાં ચીફ ઓડીટર અને નાયબ મ્‍યુ. કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. સિમ્‍પલ લીવીંગ એન્‍ડ હાઇથીંકીંગ તેમની આગવી ઓળખ છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૦૬૦૮ મો. નં. ૯૪ર૬૯ પપ૬૦૦ ગાંધીનગર.

 

(12:06 pm IST)