Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અખિલ ગુજરાત સોરઠીયા રજપૂત સમાજના પ્રમુખ વિજય ચૌહાણનો કાલે જન્‍મદિન

રાજકોટઃ અખિલ ગુજરાત સોરઠીયા રજપૂત સમાજના પ્રમુખ વિજયભાઈ ચૌહાણનો આવતીકાલે તા.૬ના જન્‍મદિવસ છે. તેઓ અખિલ ગુજરાત સોરઠીયા રજપૂત સમાજના પ્રમુખ, હ્યુમન રાઈટસ સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રમુખ, પૂર્વ કોર્પોરેટર અને તેમના પ્રયત્‍નથી સોરઠીયા રજપૂત સમાજ ભવન, ગાંધીગ્રામ રાજકોટ અને પૂ.દેવુભગત અતિથિ ભુવન, દેવભૂમિ દ્વારકા ખાતે નિર્માણ થયેલ છે. સમસ્‍ત સોરઠીયા રજપૂત સમાજને સંગઠનની શકિતથી એક છત નીચે લાવી સમાજીક પ્રશ્નોનો કૂનેહપૂર્વક ઉકેલ લાવનાર વિજયભાઈ ચૌહાણના જન્‍મદિવસની પૂર્વ સંખ્‍યાએ જ તેમના મિત્રો- શુભેચ્‍છો તેમને મો.૯૯૯૮૦ ૧૦૦૦૦ ઉપર અભિનંદન વર્ષા કરી રહ્યા છે.

(3:44 pm IST)