Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વાંસજાળિયાના પત્રકાર રમેશભાઇ ઘરસંડિયાનો જન્મદિન

    વાંસજાળીયા પત્રકાર રમેશકુમાર ધરસંડિયા નો તા.૧૭-૭-૨૦૨૧ શનિવારે જન્મદિન છે.

તેઓ ૩૦ વરસ થી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે.સિદસર ઉમિયાધામ,સરદારધામ,પટેલ પરિવાર,તેમજ અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ માં તેમનું યોગદાન રહયું છે,ઉમિયા માતાજી જન્મ શતાબ્દી મહોત્સવમાં પ્રેસ મિડિયા કમિટીમાં રમેશભાઈ એ વાઈસ ચેરમેન તરીકે સક્રિય કાર્ય કર્યું હતું,તેમજ આજથી ૨૯ વરસ પહેલાં વાંસજાળીયા અને તરસાઈ રેલવે લાઈન પર આવેલા ફાટક પર પેસેનજર ટ્રેન અને વરરાજા ની જાન લઈને જતાં ટ્રક વચ્ચે થયેલા અકસ્માત માં સ્થળ પર ૪૭ માણસો ના મૃત્યુ થયેલા તે વખતના સમાચાર અને તસવીરો મોકલવાના ટાંચા સાધનો વચ્ચે રમેશભાઈએ આ અકસ્માતના સમાચારો-તસવીરો મોકલવા માટે જે જહેમત લીધી હતી તેને અખબારી જગતે બિરદાવી અને પ્રમાણપત્ર આપેલ બી.એ.,એલ એલ બી. જર્નાલિઝમની લાયકાત ધરાવતા રમેશભાઈ હાસ્ય કલાકાર અને તબલા વાદક છે, ગૃહખાતા એ ૅપોલીસ સલાહકાર સમિતિૅ ના સભ્ય તરીકે રમેશભાઈની નિમણૂંક કરેલ છે. બહુમુખી પ્રતિભા ધરાવતા રમેશભાઈ ને જન્મદિને મોબાઈલ નં ૯૪૦૮૧૮૬૬૭૭ ઉપર એડવાન્સ શુભેચ્છા મળી રહી છે.

(11:44 am IST)