Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જુનાગઢના ‘અકિલા' ના બ્‍યુરોચીફ વિનુભાઇ જોષીનો આજે જન્‍મદિન

જુનાગઢ તા. ૧ :.. છેલ્લા ર૦ વર્ષથી અકિલા પરિવાર સાથે જોડાયેલ જુનાગઢના અગ્રણી પત્રકાર સ્‍વ. સૂર્યકાન્‍તભાઇ જોષીના લઘુબંધુ અકિલાના જુનાગઢ જિલ્લાના બ્‍યુરો ચીફ વિનુભાઇ જોષીનો આજે ૧ ફેબ્રુઆરીના રોજ બાવનમો જન્‍મ દિવસ છે.

રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત પોલીસ અધિકારી સ્‍વ. શિવલાલભાઇ જોષીના ઘરે ૧-ર-૧૯૭૦ ના રોજ જન્‍મેલ વિનુભાઇ જોષી નવ વર્ષ સુધી જુનાગઢ જિલ્લાના અકિલા બ્‍યુરો ચીફ સૂર્યકાન્‍તભાઇ  જોષીના મદદનીશ તરીકે કામગીરી સંભાળતા રહેલ ૧૩ વર્ષ પહેલા સૂર્યકાન્‍તભાઇ જોષીનું અવસાન થતા તેમના સ્‍થાને પત્રકારત્‍વ ક્ષેત્રે પ્રવેશ કરી અને જુનાગઢ જીલ્લાના અકિલાના બ્‍યુરો ચીફ તરીકે પ્રતિનિધિત્‍વ સંભાળી રહ્યા છે. આજે તેઓના જન્‍મદિન નિમિતે તેમના શુભેચ્‍છકો મો. ૯૮રપર ૩૬૭૧૮ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

 

(11:46 am IST)