Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રઘુવંશી વેવિશાળ માહિતી કેન્‍દ્ર ચલાવતા મનુભાઇ મીરાણીનો શુક્રવારે જન્‍મ દિન

રાજકોટ : લોહાણા સમાજનાં લગ્નોત્‍સુક યુવક-યુવતીઓ માટે છેલ્લા રર વર્ષથી ‘શ્રી રઘુવંશી વેવિશાળ' માહિતી કેન્‍દ્ર (નિઃશુલ્‍ક) ચલાવનારા મનુભાઇ મીરાણીનો તા. ૩, શુક્રવારે ૮રમો જન્‍મ દિન છે. નિઃશુલ્‍ક કુલ ૧૬ જેમાં ૩ પરીચય મેળા ઓનલાઇન કરવામાં આવ્‍યા.

રઘુવંશી સમાજનાં શિક્ષિત (મીનીમમ ગ્રેજયુએટ કે તેથી વધારે) લગ્નોત્‍સુક દિકરા-દિકરીઓ માટે શ્રી લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, આદર્શ હોલ, રાજકોટ ખાતે સવારે ૧૦-૩૦ થી બપોરે ૧-૩૦ દરમિયાન, દર રવિવારે, નિઃશુલ્‍ક માહિતી કેન્‍દ્ર શ્રી રાજકોટ લોહાણા મહાજનનાં સહયોગથી ચાલે છે. દર મહિનાનો પહેલો રવિવારે ૧૯૯ર થી ર૦૦૧ સુધીના હાયર એજયુકેશનવાળા રઘુવંશી યુવક-યુવતીઓ માટે રખાયો છે.દર મહિનાના ત્રીજા રવિવારે રી-મેરેજ, સગાઇ કેન્‍સલ, નોન ગ્રેજયુએટ તેમજ છૂટછાટ મુકવાવાળા ફ્રેશ કોઇપણ વર્ષનાં.દર મહિનાનો ચોથો રવિવારે ડોકટર, સી. એ., એન્‍જીનીયર, ફોરેન તેમજ હાઇપ્રોફાઇલ પાર્ટીના હાયર એજયુકેશનવાળા રઘુવંશી યુવક-યુવતીઓ માટે રખાયો છે.દર રવિવારે રઘુવંશી યુવક-યુવતીઓનો પરિચય થાય તે માટે મીટીંગનું પણ આયોજન કરવામાં આવેલ છે. (મો. ૯૪ર૮૪ ૬૬૬૬૩) 

(3:47 pm IST)