Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સોમનાથ મંદિર ટ્રસ્‍ટના એસ્‍ટેટ અધિકારી સુરૂભા જાડેજાનો જન્‍મદિન

પ્રભાસપાટણઃ. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટના એસ્‍ટેટ અધિકારી સુરૂભા જાડેજાનો આજે જન્‍મ દિવસ છે.

ધોરાજી પાસે નાની મારડ ગામે તા. ૧૨-૭-૧૯૬૩ના રોજ જન્‍મેલા તેઓ ૧૯૮૦થી સોમનાથ મંદિર ખાતે કાર્યરત છે. રાષ્‍ટ્રપતિ અને રાજ્‍ય મુખ્‍યમંત્રી એવોર્ડથી તેઓ સન્‍માનિત પણ થયેલ છે. તેઓના કુશળ સંચાલનને કારણે રાજ્‍ય સરકારે બે વખત સોમનાથ હોમગાર્ડ કમાન્‍ડર તરીકે એકસટેન્‍શન પણ આપેલ છે.

તાજેતરના કોરોના કપરાકાળમાં સોમનાથ ટ્રસ્‍ટ-ટ્રસ્‍ટી સચિવ પ્રવિણભાઈ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન - સ્‍ટાફ ટીમ સ્‍પીરીટથી જરૂરતમંદોને ભોજન-કીટ પહોંચાડવા તથા તૌકતે વાવાઝોડા અસરગ્રસ્‍ત ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર જીલ્લાઓમાં ટ્રસ્‍ટના પ્રતિનિધિ તરીકે કીટ, છાપરા, દવા, પ્રસાદીઓનું કાર્ય સૌના સહકારથી સુપેરે ફરજ બજાવી ટ્રસ્‍ટનું ગૌરવ વધારેલ છે. તેમના જન્‍મદિને ઠેર-ઠેરથી અભિનંદન - શુભેચ્‍છાઓ મો. ૯૪૨૮૨ ૧૪૯૧૧ ઉપર મળી રહી છે.

(10:48 am IST)