Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

નિવૃત્ત સનદી અધિકારી જે. કે. આસ્‍તિકનો જન્‍મદિન

રાજકોટમાં જુદા જુદા પદ પર યાદગાર કામગીરી

રાજકોટઃ  ગુજરાત રેવન્‍યુ ટ્રિબ્‍યુનલમાં સભ્‍ય તરીકે રહી ચુકેલા જે. કે. આસ્‍તિકનો જન્‍મ ૧૯પ૬ ના વર્ષની તા. ૧પ સપ્‍ટેમ્‍બરે થયેલ. આજે યશસ્‍વી જીવનના ૬૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે.

જે. કે. આસ્‍તિક અગાઉ રાજકોટમાં અધિક કલેકટર સંકલન, સૌરાષ્‍ટ્ર વિભાગીય નગરપાલિકા નિયામક, રૂડામાં મુખ્‍ય કારોબારી અધિકારી, મ્‍યુનિસીપલ ફાઇનાન્‍સ બોર્ડમાં મુખ્‍ય વહીવટી અધિકારી સુરેન્‍દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર પ્રશંસનીય કામગીરી કરી ચુકયા છે. તેઓ મુળ અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકના વતની છે. આઇ.એ.એસ. કેડરમાંથી નિવૃત થયા બાદ સરકારે તેમની ઉતમ કામગીરીની કદરરૂપે મહેસુલ પંચમાં નિમણુંક આપી હતી. શુભત્‍વથી શોભતી તેમની કારકીર્દી વહીવટી ક્ષેત્રે પ્રેરણારૂપ ગણાય છે. (મો. ૯૮રપ૪૪૬૧રર અમદાવાદ)

(3:45 pm IST)