Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

જીવનના વધુ એક નૂતન વર્ષમાં પ્રવેશતા તુષાર ધોળકિયા

રાજકોટ : ગુજરાતના નાગરિક પુરવઠા વિભાગના નિયામક તથા નાગરિક પુરવઠા નિગમના ઇન્‍ચાર્જ એમ.ડી. તુષાર ધોળકીયાનો જન્‍મ તા. ૧૮ સપ્‍ટેમ્‍બર ૧૯૬૬ ના દિવસે થયેલ. ગઇકાલે પ૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ અમદાવાદ પંથકના વતની અને ર૦૧૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. સૌરાષ્‍ટ્રમાં પાણી માટેની મહત્‍વની સૌની યોજનાના નિર્માણમાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ભૂતકાળમાં રાજકોટ સિંચાઇ વિભાગમાં અધિક્ષક ઇજનેર, રાજયમાં આદિજાતિ વિકાસ કમિશનર પાણી પુરવઠા બોર્ડના સભ્‍ય સચિવ વગેરે સ્‍થાનો પર રહી ચુકયા છે. ગઇકાલથી શરૂ થયેલી જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા આજે પણ ચાલુ છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૧૧૭૦ મો. ૯૯૭૮૪૦૮૦પપ ગાંધીનગર.

(1:34 pm IST)