Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વાંકાનેર : શાસ્ત્રી યોગેશભાઇ વ્યાસનો આજે જન્મદિન

વાંકાનેર :  જોડીયાધામના ભોલેબાલાજીના ભકતજન અને હાલ રાજકોટ શાસ્ત્રીશ્રી યોગેશભાઇ જે વ્યાસનો આજે જન્મદિન છે. તેઓ પપમાં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.
મુળ જોડીયાના વતની હાલ રાજકોટ શ્રી રામવાડી આશ્રમમાં શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી દાદા અને પૂ. સંતશ્રી ભોલેબાબાજીની કૃપાથી સંગીતમય સુંદરકાંડના પાઠની સૌ પ્રથમ શરુઆત થયેલ અને પૂ. ભોલેદાસજીબાપુની કૃપાથી આજે તેમના સ્વરમાં અનેરા સંગીતની શૈલી સાથે વિધવિધ ઢાળો સાથે સુંદરકાંડની ચોપાઇઓ ગાય છે.
આ ઉંપરાંત તેઓ શ્રીનાથજીની ઝાખી તેમજ ભગવાન ભોળાનાથના શિવ વિવાહ ઇ-વર વિવાહ સંગીતમય સાથે કરી રહ્યા છે.
તેઓએ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ રાજકોટ શહેરમાં તેમના ભકિત સંગીત સંધ્યાના કાર્યક્રમો, સુંદર કાંઠના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, વગેરે યોજાય રહ્યા છે. તેમના જન્મ દિવસે સૌ સ્નેહીજનો, મીત્રો, સંતો-કથાકારો તેમના મો. ૯રર૮ર ૦૧૦૦૮ ઉંપર અભિનંદન આપી રહેલ છે.

 

(11:29 am IST)