Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પ્રભાસપાટણઃ એએસઆઈ નરવણસિંહનો જન્મદિન

પ્રભાસપાટણ :. ગીર-સોમનાથ જીલ્લા પોલીસ એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. નરવણસિંહ ગોહિલનો કાલે રવિવાર તા. ૫મીએ જન્મ દિવસ છે.

તા. ૫-૧૨-૧૯૮૪ના રોજ ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામમાં જન્મેલા નરવણસિંહ પાલિતાણા અને ભાવનગરમાં તેજસ્વી અભ્યાસ સાથે ગ્રેજ્યુએટ થઈ વર્ષ ૨૦૦૭થી ગુજરાત પોલીસ દળમાં જોડાયા અને પ્રથમ નિમણૂક વેરાવળ સીટીમાં ૫ વર્ષ, કેશોદ ૧ાા વર્ષ અને હાલ એસ.ઓ.જી. ગીર-સોમનાથમાં કાર્યરત. ઉપરી અધિકારીઓના માર્ગદર્શન - સાથી કર્મચારીઓનો સહકાર અને અંગત ધગશ-સુઝબુઝથી અનેકો અટપટ્ટા ગુન્હાઓ ઉકેલવામાં તેમની યશસ્વી કામગીરી રહી છે.

૨૦૧૯માં કોડીનાર વિસ્તારમાં રૂપિયા બાવીસ લાખની નકલી નોટો અને તેના ચાર આરોપીઓને ઝડપવા બદલ તત્કાલીન ડી.જી.એ શાબાશી સાથે પ્રશંસાપત્ર એનાયત કરેલ છે. તેમના મો. ૯૯૦૯૮ ૫૬૭૭૫ છે.

(12:03 pm IST)