Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મુંબઇના પૂ. કૃષ્ણદત્ત શાસ્ત્રીનો જન્મ દિવસ

ભાવનગર  :.. આદીવાસીના ઝૂંપડાથી લઇને અમેરીકાની ઇમારતો સુધી જેઓ એ જ્ઞાનરૂપી અમૃતનું સિંચન કર્યુ છે. એવા મુંબઇના વિદ્વાન પૂ. કૃષ્ણદતભાઇ નીરંજન શાસ્ત્રીનો આજે સોમવાર તા. ૬ ના જન્મ દિવસ છે.  પુષ્ટી સંપ્રદાયના ગૌરવરૂપ કૃષ્ણદતભાઇ ગુંસાઇજીના સેવક વિષ્ણુદાસ જોષીના ૧પ મી પેઢીના વંશજ છે. અને દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવતજીના માધ્યમ દ્વારા ભારતીય સંસ્કૃતીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેઓના જન્મ દિને મો. ૯૮ર૦૮ ર૬૭૭૭ ઉપર વધાઇ મળી રહી છે.

(11:33 am IST)