Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

રાજકોટ બાર એસો.ના પ્રમુખની હેટ્રીક સર્જનાર બકુલ રાજાણીનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૪ : રાજકોટ વકીલ આલમમાં કાકાના હુલામણા નામથી જાણીતા અને ૧૦૮ની જેમ વકીલોને પ્રશ્ને સતત કાર્યશીલ રહેતા બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણીનો આજે જન્મદિવસ છે. બકુલભાઈ રાજાણી વિદ્યાર્થીકાળથી જનસંઘની વિચારધારાને વરેલા અને જનસંઘના સંસ્કારોનું સિંચન થયેલ. તેઓ મહાદેવ મિત્ર મંડળ, સાંઈનાથ સેવા ટ્રસ્ટ, વાણિયાવાડી યુવક મંડળના પ્રમુખ છે.

તેઓ સને ૧૯૯૮થી વકિલાતના વ્યવસાયમાં જોડાયેલા છે. ત્યારથી સિવિલ, ક્રિમીનલ અને રેવન્યુ કેસો સંદર્ભે વકિલાત કરી રહ્યા છે. સને ૨૦૦૧ની સાલમાં જુનિયર બાર એસોસીએશનના પ્રમુખ તરીકે વકિલોના પ્રશ્ને સેવા આપવાનું ચાલુ કરી વકિલોની ડિરેકટરી બનાવેલ અને સૌરાષ્ટ્ર-કચ્છ લોયર્સ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી. સને ૨૦૧૯ અને ૨૦૨૦માં રાજકોટ બાર એસો.ની પ્રતિષ્ઠાભરી ચુંટણીના ઈતિહાસમાં સતત ત્રણ વખત પ્રમુખ તરીકેનો રેકોર્ડ સજર્યો છે. કોરોના કાળમાં જરૂરીયાતમંદ વકિલો અને વતનમાં જતા શ્રમિકોને મદદરૂપ થઇ માનવતા મ્હેકાવી હતી.

કોઈપણ સમયે બકુલ રાજાણી રાત-દિવસ જોયા વગર હંમેશા વકીલોના પ્રશ્નોનો નિકાલ માટે તત્પર રહ્યા છે નાનામાં નાના વકીલને સાંભળીને તેઓની મુશ્કેલીમાં મદદરૂપ થયા છે બકુલભાઈ રાજાણીને તેમના મો.નં.૯૮૨૫૨ ૧૧૩૯૧ ઉપર સિનિયર-જુનિયર વકિલો અને આગેવાનો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(2:58 pm IST)