Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

એનીમલ હેલ્પલાઇનના સેક્રેટરી પ્રતિક સંઘાણીનો કાલે જન્મદિવસ

રાજકોટઃ પ્રખર જીવદયાપ્રેમી સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠિત ગારડી એવોર્ડ વિજેતા પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સન્માનીત એનીમલ હેલ્પલાઇનના સેક્રેટરી તથા જૈન સમાજના યુવા અગ્રણી પ્રતિક સંઘાણીનો આવતીકાલે તા.૧૫ શુક્રવારના ૪૦મો જન્મદિવસ છે. તેઓ રાજકોટની શ્રી કરૂણા ફાઉન્ડેશન સંચાલીત એનીમલ હેલ્પલાઇન તથા અન્નક્ષેત્ર અને નિઃશુલ્ક વેટરનરી હોસ્પીટલ શેલ્ટર જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમીતીના ટ્રસ્ટી તેમજ સમસ્ત મહાજન, પીપલ ફોર એનીમલ્સ, વિવેકાનંદ યુથ કલબ થેલેસેમીયા જનજાગૃતિ સમિતિ દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ મિત્ર ફાઉન્ડેશન એનીમલ વેલફેર બોર્ડ ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ વિવિધ ગૌશાળા અને પાંજરાપોળોમાં સક્રિય રીતે જોડાયેલા છે. પ્રતિકભાઇ એમ જે એમસી, એમજેએમસી સુધી અભ્યાસ કરેલ છે. પ્રતિક સંઘાણીના જન્મદિવસની ગરીમાયથી ઉજવણી એનીમલ હેલ્પલાઇનની હોસ્પિટલ ખાતે અબોલ જીવો વચ્ચે થશે. પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી અને રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, મેયરશ્રી ડો. પ્રદીપભાઇ ડવ તથા સીનીયર કોર્પોરેટરશ્રી દેવાંગભાઇ માંકડ હાજરી આપશે. મો.૯૯૯૮૦ ૩૦૩૯૩

(3:43 pm IST)