Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સુર સંગમના પ્રમુખ સુરેશભાઇ વ્યાસનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટઃ શહેરની જાણીતી સંગીત સંસ્થા સુર, સંગમ મ્યુઝીકલ ગૃપના પ્રમુખશ્રી સુરેશભાઈ વ્યાસનો  (મો.૮૭૮૦૮ ૦૮ર૬૩) આવતીકાલે તા.૧૭ના જન્મદિવસ છે. તેઓ ૧૯૭૦ની શાલથી સંગીત-જગત સાથે સંકળાયેલા છે અને છેલ્લા ૧૨ વર્ષથી સુરસંગમ મ્યુઝીકલ ગ્રૂપ નામની સંસ્થાનું સફળ સંચાલન કરી રહયા છે. અને સંગીતના નિઃશુલ્ક  કાર્યક્રમો યોજીને સંગીત-પ્રેમીઓને ભરપુર મનોરંજન પુરૂ પાડે છે. ઉપરાંત નવોદીત/ ઉભરતા ગાયકોને કરાઓકે ટ્રેક ઉપર ગીતો ગાવાની તાલીમ આપીને સ્ટેજ/પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે હમેશા કટીબધ્ધ રહે છે. તેઓ યોગ તથા સ્પોકન ઈગ્લીશના વર્ગો પણ ચલાવી રહયા છે, તેઓએ બેંકના અધિકારી તરીકે યશસ્વી કારકીર્દી પુરી કરીને ૨૦૦૧ની સાલમાં સ્વૈચ્છીક નિવૃતિ ગ્રહણ કરીને સંગીત ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપી રહયા છે. મહદઅંશે મહમ્મદ રફી સાહેબના ગીતો બખુબી પ્રસ્તુત કરે છે. સુરસંગમ મ્યુઝીકલ ગૃપ સંસ્થામાં હાલ ૧૭ કલાકારો છે. શ્રી સુરેશભાઇ વ્યાસને જન્મદિનની પુર્વ સંધ્યાએ જ અભિનંદન વર્ષા થઇ છે. 

(4:07 pm IST)