Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગોંડલના સેવાભાવી આગેવાન પ્રવિણભાઇ રૈયાણીનો ૪૯મો જન્મદિન

ગોંડલ,તા.૧૮: સામાજિક ધાર્મિક કે કોઈપણસેવાકીય પ્રવૃત્ત્િ। અને કુદરતી આપત્ત્િ। વિપત્ત્િ। વેળાએ હંમેશા લોકસેવાનું બીડું ઝડપનાર પ્રવીણભાઈ રૈયાણી ૪૯ વર્ષમાં પ્રવેશી રહ્યા છે. લોકડાઈન વખતે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા શ્રી રામગર સેવા ટ્રસ્ટ સાથે રહીને દરરોજ પાંચ થી છ હજાર માણસો માટે ભોજન વ્યવસ્થા ૭૦ દિવસ સુધી કરવામાં આવી હતી, ગોંડલમાં વેકિસન માટે જાગૃતિ લાવવા સરકારી તંત્રની સાથે મળીને પંદર દિવસ કેમ્પ નું આયોજન કરી વોર્ડ નં ૯ માં દ્યરે દ્યરે થી સીનયર સિટીજનોને વેકિસન અપાવી હતી, ઓકિસજન માટે આશરે બે મહિના રિફીલિંગ સેવા રાતદિવસ કરી હતી.

હાલમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ જે સતત એક પખવાડિયા થી ચાલી રહ્યો છે જેમાં આશરે ૭૦૦ થી પણ વધારે લાભાર્થીઓને લાભ લેવડાવ્યો છે, ગોંડલના પુનિતનગર વિસ્તારમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર માં છેલા ૧૨ વર્ષથી ગણપતિ ઉત્સવ કરવામાં આવે છે, શિવરાત્રી નિમિતે બાળકોને બટુકભોજન કરવામાં આવે છે, મંદિરમાં તહેવાર નિમિતે હિંદુ ઉત્સવો ઊજવવા માં આવી રહ્યા છે. પ્રવીણભાઈના પત્ની ભાવનાબેન રૈયાણી ગોંડલ નગરપાલિકા ના સદસ્યા છે. (મોબાઈલ નંબર ૭૦૯૬૩૧૧૫૦૯).

(11:36 am IST)