Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

તોરણીયા નકલંકધામના મહંત પૂ. રાજેન્દ્રદાસ બાપુનો આજે જન્મોત્સવ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૦:  તોરણીયા નકલંકધામ આશ્રમના મહંત યુ રાજેન્દ્રદાસબાપુનો આજે જન્મદિવસ છે.

બાળપણથી જ ભકિતરંગે રંગાયેલા પૂ.રાજેન્દ્રદાસબાપુ સંત અમલનો માર્ગ અપનાવી માનવ સેવા એ જ પ્રભુ સેવા સુત્રને સરિતાર્થ કરી માનવ સેવાના અનેક વિધકાર્યો તેમના દ્વારા કરવામાં આવે છે. તોરણીયા ખાતે બારબીજ ઉજવવામાં આવે છે. તેમજ પુ. બાપુ દ્વારા તોરણીયા ઉપરાંત હરિદ્વારમાં નકલંકધામ આશ્રમની સ્થાપના કરી ૩૦૦ રૂમોનું વિશાળ યાત્રિક ભવનનું નિર્માણ કરાયું છે. જયાં હજારો લોકો ભાવિકો ત્યા ઉતારા ભોજનનો લાભ લઇ રહ્યા છે. તેમજ મુંબઇ કાંદીવલી ખાતે પણ પૂ. બાપુનો આશ્રમ આવેલો છે. પૂ. બાપુના જન્મદિન નિમિત્તે સાધુસંતો તેમને શુભેચ્છા પાઠવી રહ્યો છે. અને સેવક સમુદાય ભાવવંદન કરી રહ્યા છે.

(3:16 pm IST)