Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

શ્રી ઉમિયાધામ મહિલા સંગઠન સમિતિ રાજકોટ પ્રમુખ

જયોતિબેન ટીલવાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ મહિલા આગેવાન એવા શ્રી જ્યોતિબેન ટીલવાનો કાલે ૨૪  ઓકટોબરના રોજ જન્મદિવસ છે. જયોતિબેન ટીલવા શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ સીદસરના રાજકોટ મહિલા પ્રમુખ તેમજ સરદારધામ યુવા તેજસ્વની સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેસન મહિલા વિંગના પ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. તેઓ મહીલાઓના ઉત્કર્ષ માટે અનેક કાર્યો કરી રહ્યા છે. મહિલોઓને આત્મનિર્ભર બનાવવા માટે તેઓ અભિયાન ચલાવી રહ્યા છે. ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ શરૂ કરાવીને તેઓ મહીલોને આત્મનિર્ભર બનાવવી રહ્યા છે.

તેઓનો સમાજને શૈક્ષણિક  ક્ષેત્રે તથા સામાજીક ક્ષેત્રે આગળ વધારવામાં મહત્વનો ફાળો રહ્યો છે.  તેઓ સેવાકીય પ્રવૃતિના ભેખધારી અને જેમનું સરળ વ્યકિતત્વ,હસમુખો સ્વભાવ,હૈયે સમાજનું હિત ઠસોઠસ ભરેલું છે. લોકડાઉનના કપરા કાળમાં તેઓએ ૧૫૦૦ લોકોની જાતે રસોઈ બનાવી જરૂરીયાતમંદ લોકો સુધી પોહચાડેલ. સિવિલ હોસ્પિટલમાં હળદરવાળુ દૂધ અને ક્રશ સુરક્ષા સ્પ્રેનું વિતરણ કર્યું હતું.

જયોતિબેનના જન્મદિવસ નિમિતે તેઓ શ્રી રમણીક કુવરબા વૃધ્ધશ્રમમાં વૃધ્ધોને ભોજન પીરસશે.(મો.૯૪૮૪૬ ૯૩૨૭૦, મો.૬૩૫૩૦ ૮૧૧૦૮)

(2:48 pm IST)