Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ કોટકનો જન્‍મદિવસ

રાજકોટ,તા.૨૧: લોહાણા મહાપરીષદના પૂર્વ અધ્‍યક્ષ, ભારતના જાણીતા બિલ્‍ડર, ઈસ્‍કોન ગ્રુપના ચેરમેન પ્રવિણભાઈ કોટકનો આજે જન્‍મદિવસ છે. વ્‍યવસાયની સફળતા સાથે તેઓ સામાજીક, સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રિય રહ્યાં છે. ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તરીકે સેવા આપી ચૂકયા છે. જ્ઞાતિમાં એકીકરણ, ભાતૃત્‍વભાવ, સંત અને સંગઠનની વૃધ્‍ધિ કરવા જરૂરી જણાય તે સર્વે પ્રવૃતિઓ હાથ ધરવાનું મુખ્‍ય ધ્‍યેય પ્રવિણભાઈ કોટકનું રહ્યું છે.

સમગ્ર વિશ્વમાંથી થેલેસેમીયા નાબૂદી અભિયાનને વેગવંતો બનાવવામાં તેમણે અદકેરો ફાળો આપ્‍યો છે. પૂ.મોરારીબાપુ, પૂ.રમેશભાઈ ઓઝા, રામદેવજી મહારાજ, પૂ.રવીશંકરજી સહિતના અનેક સંતશ્રીઓના કૃપાપાત્ર, પ્રિતીપાત્ર પ્રવિણભાઈ પ્રેમાળ, વિવેકી વ્‍યકિતત્‍વ ધરાવે છે. આજે જન્‍મદિને તેઓને ઠેરઠેરથી શુભેચ્‍છાઓ વર્ષી રહી છે. તેમના મો.૯૮૭૯૨ ૦૬૬૬૧ છે.

(3:40 pm IST)