Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

જુનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.પ્રેમ સ્વરૂપદાસજીનો જન્મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૪: જુનાગઢ જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.પ્રેમસ્વરૂપદાસજી મહારાજનો આજે જન્મદિન છે.

જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી નવાગઢવાળાના આજે ૪૭માં જન્મદિવસ પ્રસંગે સેવકગણ દ્વારા સાદાઇથી અને ભાવભેર ઉજવણી થઇ હતી. તેમજ સંતોએ પણ ખાસ આ પ્રસંગે શુભકામના પાઠવી હતી. પોતાના ૪૭માં જન્મદિન પ્રસંગે પ્રેમસ્વરૂપદાસજી મહારાજે સેવકગણ અને ભકતોને પ્રેરણારૂપ સંદેશો પાઠવી અને સમાજ સેવાને જીવનમાં આગવું મહત્વ આપી જરૂરીયાતમંદોને સહાયરૂપ થવા તેમજ પોતાના પરીવાર અને રાષ્ટ્ર માટે કંઇક કરી છુટવા માટે અપીલ કરી હતી.

જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિર ખાતે એક વર્ષ પહેલા મુખ્ય કોઠારી સ્વામી તરીકે શાસ્ત્રી પ્રેમદાસજી (નવાગઢવાળા)ની નિયુકતી થઇ હતી. રાધારમણ દેવ વહીવટી સમીતીનાં ચેરમેન શ્રી દેવનંદનદાસજી મહારાજ તેમજ ટ્રસ્ટીગણ અને શાસ્ત્રી પી.પી. સ્વામી તેમજ સેવકગણનાં સહયોગથી આ મંદિરનો ખુબ જ સુંદર અને કુશળ વહીવટ તેમનાં દ્વારા કરવામાં આવી રહેલ છે. કોઇપણ જાતના વિવાદ વિના ધાર્મિક કાર્યો, સેવાકીય કાર્યો અને મંદિરનાં વિકાસ માટેની પ્રવૃતિ જોરશોરથી ચાલી રહી છે. મો.૯૮૨૫૫ ૨૨૭૭૪ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:59 pm IST)