Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ઉત્સવ ગ્રુપનાં ઉત્સવી દિનેશ વિરાણીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૬ :.. છેલ્લા ૪ દશકાથી વિવિધ સેવાકિય પ્રવૃતિ સાથે નાટય જગતની પ્રવૃતિ કરતા ઉત્સવ ગ્રુપના દિનેશ વિરાણીનો આજે જન્મ દિવસ છે. ઉત્સવ ગ્રુપ દ્વારા તેમણે ઉત્સવ સંગીત કલબ સાથે બાળનાટય તાલીમ માટે ઉત્સવ એકટીંગ એકેડમી પણ શરૂ કરેલ છે. પોતે પણ એકટીંગની તાલીમ ફિલ્મ જગતના જાણીતા કલાકાર કિશોરકુમાર અને અશોકકુમાર પાસેથી મેળવી છે. રાજકોટનું તેમનું નિર્માણ કરેલ નાટક 'વહુએ વગોવ્યા મોટા ખોરડા' નો મુંબઇમાં ટીકીટ શો યોજીને રેકોર્ડ તોડયો હતો. જરૂરીયાત મંદોને મફત ચારધામ યાત્રા તથા શ્રાવણના પ્રથમ સોમવારે બહેનો માટે મફત વન-ડે મંદિરોના યાત્રા-પ્રવાસ દર વર્ષે ઉત્સવ ગ્રુપના નેજા તળે દિનેશ વિરાણી યોજે છે. લોકડાયરો - હસાયરો - મ્યુઝિકલ નાઇટ - નાટકો જેવા મનોરંજન કાર્યક્રમો રાજકોટ લાવીને કલા રસીકોમાં માન ભર્યુ સ્થાન ભોગવે છે. હિન્દી ફિલ્મ જગતનાં નામાંકિત કલાકારોના નાટકો રાજકોટ આંગણે લાવવાનું શ્રેય દિનેશ વિરાણી - ઉત્સવ ગ્રુપને જાય છે.  તેમના મો. નં. ૯૯૦૪૦ ૯૩૦૩૯ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:20 pm IST)