Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

સચિવ કે.કે.નિરાલાનો સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ

રાજકોટ : રાજયના મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના કમિશનર તથા સચિવ શ્રી કે.કે.નિરાલાનો જન્‍મ તા. ૧૭ જાન્‍યુઆરી ૧૯૭૪ના દિવસે થયેલ આજે ૫૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બિહારના નાલંદા જિલ્લાના વતની અને ૨૦૦૫ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી કે.કે.નિરાલા ભૂતકાળમાં આણંદ અને સુરેન્‍દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્‍દ્રનગર, પાટણ, ખેડા અને અમદાવાદમાં કલેકટર, રાજયમાં ટેકનીકલ શિક્ષણ નિયામક, પાણી પુરવઠા બોર્ડમાં સભ્‍ય સચિવ, ગૃહ વિભાગમાં અધિક સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. (૨૨.૧૧)

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૪૮૨૨

મો. ૯૯૭૮૪ ૦૮૫૫૧ ગાંધીનગર

(10:50 am IST)