Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડનો જન્મદિન : વન પ્રવેશની વધામણી

રાજકોટ : પાટણના નિવાસી અધિક કલેકટર તરીકે કાર્યરત શ્રી પ્રદીપસિંહ બી. રાઠોડનો જન્‍મ તા. ૧૯ જાન્‍યુઆરી ૧૯૭૩ના દિવસે થયેલ. આજે ચમકતા - દમકતા જીવનના ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મોરબી પંથકના વેજલપુર ગામના વતની છે. રાજકોટ જન્‍મભૂમિ છે.

શ્રી પી.બી.રાઠોડ ભૂતકાળમાં ગાંધીનગર અને જૂનાગઢમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર, મહેસાણામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ કલેકટર, કલોલ અને વેરાવળ સોમનાથમાં પ્રાંત અધિકારી, મહેસાણા અને અરવલ્લીમાં નિવાસી અધિક કલેકટર વગેરે પદે યશસ્‍વી કામગીરી કરી ચૂક્‍યા છે. વધે તેમની નામના એવી જન્‍મદિનની શુભકામના.

ફોન નં. ૦૨૭૬૬ ૨૩૩૩૦૪, મો. ૯૯૨૫૨ ૩૨૩૭૩ પાટણ

(1:39 pm IST)