Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ઉદ્યોગપતિ કિરીટભાઈ આદ્રોજાનો જન્મદિન

રાજકોટઃ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, યુવી કલબ, સરગમ કલબ, ઉમિયા માતાજી મંદિર સીદસર સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલ યુવા ઉદ્યોગપતિ શ્રી કિરીટભાઈ આદ્રોજાનો આજે જન્મદિવસ છે. તેઓ સિરામિક ઉદ્યોગ, જમીન, બાંધકામ, કેબલ, પાઈપ અને પંપના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને દેશના ૨૮ રાજયો અને વિદેશમાં પણ વ્યવસાય પથરાયેલો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ ખાતેના પોતાના પ્રવચનમાં એન્જલ પંપનો ઉલ્લેખ કર્યો હતો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રેટર ચેમ્બર તેમજ મેટોડા જીઆઈડીસીમાં પણ સેવા આપી હતી. (મો.૯૯૨૪૨ ૮૪૪૦૪)

(3:36 pm IST)