Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

જુનાગઢના પી.પી.સ્વામીનો જન્મદિવસ

જુનાગઢ : જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્યમંદિરના સ્વામી પુરૂષોતમદાસજી (પી.પી.સ્વામી)ના આજે ૪૭મો જન્મદિવસ છે.

નરનારાયણદાસજીના શિષ્ય એવા પી.પી.સ્વામી  રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્થ્તિ શ્રી સ્વામીનારાયણ મુખ્યમંદિરના કોઠારી તરીકે પણ સેવા આપી ચુકયા છે. રર વર્ષ સુધી આ મંદિરમાં  સેવા આપેલ ર૦૦૧માં ભુકંપ કુદરતી આપતી વચ્ચે બેઘર બનેલા લોકોને ફુડ પેકેટ અનાજ કિટો વસ્ત્રો વગેરેની સેવા આપેલ તેમજ તહેવારોમાં ગરીબ વિસ્તારોમાં મીઠાઇ વિતરણ તેમજ જન્માષ્ટમીમાં તેમની આગેવાની ફલોટ તૈયાર કરવામાં આવતો જે નં.૧ પર વિજેતા થતા અને યુવાનોની ટીમને તેઓ સાથે રાખી સેવામાં સાથે રહેતા અને વર્ષ ર૦૦૪થી ર૦૦૮ જુનાગઢ સ્વામીનારાયણ મુખ્યમંદિરમાં અનેક સેવાકીયકાર્યો કરેલ તેમજ હાલમાં મંદિરના કોઠારી પ્રેમ સ્વરૂપદાસજી (નવાગઢવાળા) સાથે તેમની ટીમમાં જોડાય કોરોના મહામારી મંદિરમાં ઉતારામાં આઇસોલેશન સેન્ટર શરૂ કરી ૧૦૦ થી વધુ બેડો સેવા આપેલ. તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે ટીફીન સેવા આપેલ. ઉપરાંત શિયાળામાં જરૂરીયાતમંદ  ગરીબ વિસ્તારોનો લોકોને ધાબળા વિતરણ અને તાજેતરમાં આવેલ  વિનાશક વાવાઝોડા દરમિયાન ગિર સોમનાથના ઉના વિસ્તારના અસરગ્રસ્તોને ૧૦ હજારથી વધુ ફુડ પેકેટોનું વિતરણ પણ પી.પી.સ્વમી અને તેમના સાથી સંતો દ્વારા કરાયુ હતુ. આજે તેમના જન્મદિન નિમિતે સાધુ સંતો અને હરિભકતો તેમના મો.નં.૯૮૭૯૯ ૧ર૦૭ર ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(3:20 pm IST)