Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પાટણના નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડનો જન્મદિન

રાજકોટઃ પાટણના નિવાસી અધિક કલેકટર તરીકે કાર્યરત શ્રી પ્રદીપસિંહ બી. રાઠોડનો જન્મ તા.૧૯ જાન્યુઆરી ૧૯૭૩ના દિવસે થયેલ. આજે ચમકતા-દમકતા જીવનના સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મોરબી પંથકના વેજલપુર ગામના વતની છે. રાજકોટ જન્મભૂમિ છે.

શ્રી પી.બી.રાઠોડ ભૂતકાળમાં ગાંધીનગર અને જૂનાગઢમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેસાણામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ કલેકટર, કલોલ અને વેરાવળ સોમનાથમાં પ્રાંત અધિકારી, મહેસાણા અને અરવલ્લીમાં નિવાસી અધિક કલેકટર વગેરે પદે યશસ્વી કામગીરી કરી ચૂકયા છે. વધે તેમની નામના એવી જન્મદિનની શુભકામના.(૨૩.૨)

ફોન નં.૦૨૭૬૬ ૨૩૩૩૦૪, મો.૯૯૨૫૨ ૩૨૩૭૩ પાટણ

(10:10 am IST)