Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વાંકાનેરના જૈન શ્રેષ્‍ઠી મહેન્‍દ્રભાઇ સોલાણીનો સોમવારે જન્‍મદિવસ

વાંકાનેર,તા.૧૩: વાંકાનેર જૈન શ્રેષ્‍ઠી મહેન્‍દ્રભાઇ સોલાણીનો તા. ૧૫મી ઓગષ્‍ટે જન્‍મદિવસ છે તેઓ ૭૬ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એમણે પોતાના જીવનની અંદર ધાર્મિક કાર્યો, શુભ કાર્યો કર્યા છે, તે લીંબડી ગોપાલ સંપ્રદાય સ્‍થા. જૈન સંઘના કાયમી ટ્રસ્‍ટી છે.

તેમ સાથે સાથે વાંકાનેર વિશાશ્રીમાળી જૈન સંઘના પૂર્વ પ્રમુખ હતા. એમના હસ્‍તે ગોપાલ સંપ્રદાયમાં  અનેક દિક્ષાઓ થઇ છે. તેમણે જિનશાસનના લીંમડી અજરામર  સંપ્રદાય, ગોપાલ સંપ્રદાય, ગોંડલ સંપ્રદાય, સંઘાણી સંપ્રદાય આવા તો અનેક સંપ્રદાયના સંત સતીજીઓની હૃદયભાવે સેવા કરેલ છે.મો. ૦૯૮૨૪૪૯૦૦૩૩ છે.

(11:48 am IST)