Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અંકિતા લોખંડે ત્રીજ હોય કે કરવા ચૌજ, હંમેશ પોતાના હાથમાં સુશાંતસિંહ રાજપૂતના નામની મહેંદી લગાવતી

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ભલે અલગ થઈ ગયા પરંતુ હંમેશા ફેન્સ આ જોડીને એક આઈડિયલ મેચ તરીકે જોતા હતા. અંકિતા તરફથી સુશાંત માટે એટલો ગાઢ પ્રેમ હતો કે બ્રેકઅપ બાદ પણ તેણે સુશાંત માટે કરવાચોથનું વ્રત રાખ્યું હતું. અંકિતા લોખંડે દરેક તહેવારને ઉત્સુકતા સાથે ઉજવે છે.

સુશાંતને ગમતો હતો પીળો રંગ

અંકિતા કોઈ પણ ખાસ અવસર હોય તો ઘરને એકદમ અનોખી રીતે સજાવે છે. અંકિતાના શ્રૃંગારનો ખુબ શોખ છે. કોઈ પણ ખાસ અવસરે તે સજવા ધજવાનું બિલકુલ ભૂલતી નથી. પીળો રંગ સુશાંત સિંહ રાજપૂતનો ફેવરિટ રંગ હતો. અંકિતા લોખંડને પણ પીળો રંગ ખુબ પસંદ છે. વર્ષ 2016માં અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતનું બ્રેકઅપ થઈ ગયું હતું. અને તે જ વર્ષે અંકિતાએ કરવાચૌથનું વ્રત પણ રાખ્યું હતું.

હાથમાં સુશાંતના નામની મહેંદી હતી

અંકિતા લોખંડેના ફેન્સે આ તસવીરો જોઈને વારંવાર એક સવાલ પૂછ્યો હતો કે આખરે તેણે કોના માટે આ વ્રત રાખ્યું છે? તીજ હોય કે કરવાચૌથ અંકિતા લોખંડે હંમેશા પોતાના હાથમાં આ જ રીતે સુશાંત સિંહ રાજપૂતના નામની મહેંદી લગાવતી હતી.

કરવા ચોથ પર અંકિતાના ઘરે આવતા હતા મિત્રો

કરવા ચોથના અવસરે અંકિતા લોખંડે બધા મિત્રોને ઘરે બોલાવતી હતી. જ્યારે અંકિતા સુશાંત સાથે રિલેશનશીપમાં હતી ત્યારે તે કરવાચોથ પર આવી જ રીતે લાલ ચૂડો પહેરતી હતી.

(5:01 pm IST)