Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જે લગ્ન બાદ મારા મમ્મી અને મારી સાથે રહે તેવા વ્યકિતને પરણીશઃ સારા અલી ખાન

સારા અલી ખાને લગ્ન માટે મૂકી શરત! જે માનશે તે જ બનશે જીવનસાથી!

મુંબઇ, તા.૩: સારા અલી ખાન સ્ટારકિડ છે, તેમ છતાં નેપોઝિટમની ડિબેટને પોતાનાથી દૂર રાખવામાં સફળ રહી છે. તે રણવીર સિંહ, સુશાંત સિંહ રાજપૂત, અક્ષય કુમાર અને કાર્તિક આર્યન જેવા એકટર્સ સાથે કામ કરી ચૂકી છે. દરેક ફિલ્મમાં તે અલગ-અલગ પાત્રમાં જોવા મળી છે. સારાની અપકમિંગ ફિલ્મ 'અંતરંગી રે' થોડા અઠવાડિયામાં રિલીઝ થવાની છે. અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે એકટ્રેસે એકઝકલુઝિવ વાતચીત કરી હતી. જેમાં તેણે પોતાના જીવન અને પર્સનાલિટી સિવાય કેવો જીવનસાથી જોઈએ છે તેના વિશે વાત કરી હતી.

'અંતરંગી રે'માં સારા અલી ખાન 'રિંકૂ'ના પાત્રમાં જોવા મળવાની છે. આ વિશે વાત કરતાં એકટ્રેસે કહ્યું હતું કે, 'આ પાત્ર જે ભાષા બોલે છે, જે મને નહોતી આવડતી. પહેલીવાર ફિલ્મમાં મેં એકલીએ ડાન્સ કર્યો છે. હું પહેલીવાર નોર્થ અને સાઉથના થલાઈવી સાથે કામ કરી રહી છું. મારા માટે આનંદ એલ રાય સાથે કામ કરવાનો અનુભવ નવો રહ્યો. આ પાત્ર પોતાની રીતે એકદમ અલગ છે. રિંકૂ બેબાક હોવાની સાથે સોફ્ટ અને અંદરથી માસૂમ છે'.

ફિલ્મમાં સારા અલી ખાનનો પાત્ર તેવો દાવો કરે છે કે, તે જેને પ્રેમ કરે છે તે તેની સાથે ઘણીવાર ભાગી ચૂકી છે. શું એકટ્રેસ પણ પોતાને બળવાખોર સમજે છે? તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે 'મારા મમ્મીની મદદ લીધા વગર હું ઈન્ટરવ્યૂમાં મારા કપડા સાથે બંગડીનું મેચિંગ કર્યા વગર પણ આવી શકતી નથી. હું મારા મમ્મીના કહ્યા વગર ઘર બહાર નીકળતી નથી. મારી હેસિયત જ નથી, મમ્મીથી દૂર ભાગવાની. કયાંય પણ ભાગી જાઉ, ઘર તો પાછું જવું જ પડશે'.

શું કયારેય બંધન તોડીને જાતે જ કંઈક કરવાની ઈચ્છા અનુભવી છે? તેવા સવાલના જવાબમાં એકટ્રેસે કહ્યું હતું કે, 'કયારેય નહીં. હું લગ્ન પણ તેવા જ વ્યકિત સાથે કરીશ જે મારી સાથે અને મારા મમ્મી સાથે રહે. હું તેને છોડીને જવાની નથી. મજાકને બાજુમાં રાખીએ તો, મારા મમ્મી ખુલ્લા દિલના વ્યકિત છે. મારા માટે તેઓ સર્વસ્વ છે. હું તેમને છોડીને કયાંય જવાની નથી'.

(3:38 pm IST)