Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

અનુપમા સિરીયલમાં નવો વળાંક આવશેઃ અનુપમાને ઘરમાંથી બહાર કઢાશેઃ કાવ્યા અને વનરાજનું રિઍકશન ચોંકાવનારૂ દેખાશે

પાખી નાટક કરતી જોવા મળશેઃ વધુ ઍક મુશ્કેલીનો સામનો કરવો પડશે

નવી દિલ્હીઃ રૂપાલી ગાંગુલી, મદાલતા શર્મા  અને સુધાંશુ પાંડે સ્ટારર ફેમસ ટીવી સીરિયલ અનુપમામાં હવે ટ્વિસ્ટ આવશે. અનુપમાના ઘરમાં ડ્રામા ન થાય તે કેમ બની શકે? અનુપમાની જિંદગીમાં નવી મુશ્કેલીઓ આવી રહી છે અને વધુ એક મોટી મુશ્કેલી સામે આવી ગઈ છે. અનનુપમાના ફેન્સને તે જાણીને શોક લાગશે કે અનુપમાને ઘરમાંથી બહાર કરવામાં  આવશે. જાણો સીરિયલમાં શું આવશે ટ્વિસ્ટ.

પાખી નાટક કરતી રહેશે

આવનારા એપિસોડમાં તમે જોશો કે પાખીનું નાટક ખતમ થવાનું નથી. અનુપમા મામલાને શાંત કરવાનો પ્રયાસ કરશે પરંતુ રાખી કોઈ વાત સાંભળવા રાજી થતી નથી. પારિતોષ પણ આ વચ્ચે ઘર છોડીને જવા ઈચ્છે છે. અનુપમા તેને સમજાવે છે કે તે ખુશી-ખુશી ઘર જાય. તો કિંજલ ફરી એકવાર જાહેર કરશે કે તે ઘરમાંથી જવા ઈચ્છતી નથી. તે કહેશે કે તે પરિવારની સાથે રહેવા ઈચ્છે છે.

કિંજલ આપશે અનુપમાનો સાથ

કિંજલની વાત સાંભળી પારિતોષ નારાજ થઈ જશે અને ત્યાંથી જતો રહેશે. ઘરના સભ્યો પોત-પોતાના રૂમમાં પહોંચી જશે. અનુપમા અને કાવ્યાની સામે હાથ જોડીને કહેશે કે તે રોજ-રોજના ઝગડા પૂરા કરે. ત્યારબાદ સવારે ઉઠી અનુપમા પૂજા કરે છે. સાથે પાખી માટે પણ પ્રાર્થના કરે છે કે તે સારી રીતે કોમ્પિટિશનમાં ડાન્સ કરે. કાવ્યા ખુદને સારી દેખાડવા ઈચ્છે છે, તેથી તેની ઈચ્છા છે કે તે પાખી સામે સ્પર્ધા જીતે. સ્પર્ધામાં પહેલા કાવ્યા પાખીને અનુપમા વિરુદ્ધ ફરી ભડકાવે છે.

અનુપમાને બાપુજી કરશે ઘરની બહાર

કાવ્યાને પહેલાથી પાખીની જીતને લઈને અતિઆત્મવિશ્વાસ છે. તે પાખીનો મેકઓવર કરશે. સાથે બધાની સામે અનુપમાને ગુસ્સે કરશે. ત્યારબાદ પાખી પણ કાવ્યાને સાથ આપીને અનુપમાને ગુસ્સે કરવાનો પ્રયાસ કરશે. આ વચ્ચે બાપુજી પણ એક ચોંકાવનારો નિર્ણય લેશે. બાપુજી અનુપમાને ઘરની બહારનો રસ્તો દેખાડશે. તે જોવાનું રસપ્રદ હશે કે અનુપમા આ મુસીબતનો સામનો કેવી રીતે કરશે. તો કાવ્યા અને વનરાજનું રિએક્શન ચોંકાવનારૂ હશે.

(4:32 pm IST)