Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

બોલિવુડમાં 6 એવી હસીનાઓ છે જેનું દિલ હિરો માટે નહીં પરંતુ ખલનાયક માટે ધડક્‍યુ

રેણુકા શહાણે, કૃતિકા, નિવેદીતા ભટ્ટાચાર્ય સહિતની હિરોઇનો વિલનને દિલ દઇ બેઠી

ફિલ્મમાં ભલે કોઇ ગમે તેવું પાત્ર ભજવતું હોય પરંતુ દરેકને હીરો જ પસંદ હોય છે. છોકરીઓ હીરો પર જ ફીદા હોય છે. પરંતુ બોલીવુડમા6 એવી હસીઓના ઓછી નથી જેમનું દિલ નાયક માટે નહી પરંતુ ખલનાયક માટે ધડક્યું. તેમાં રેણુકા શહાણેનું નામ પણ સામેલ છે.

બધા જાણે છે કે રેણુકા શહાણેએ એક્ટર આશુતોષ રાણા સાથે લગ્ન કર્યા છે. તે પણ ત્યારે જ્યારે તે ફિલ્મોમાં ખલનાયકનું પાત્ર ભજવતા હતા. સંઘર્ષ ફિલ્મના લજ્જા શંકર પાંડે તો યદ જ હશે. તો બીજી તરફ દુશ્મના સાઇકો પોસ્ટમેનને કોણ ભૂલાવી શકે છે.

પરંતુ વિલન તો ફક્ત પડદા પર જ રહ્યા હકિકતમાં તેમના ગુણો પર રેણુકા દિલ હારી બેઠી અને બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા. આટલા વર્ષો બાદ પણ આ ખુશખુશાલ જીંદગી વિતાવી રહ્યા છે અને બોલીવુડના આઇડલ કપલ છે.

Kritika Sengar: કૃતિકા એક ટીવી અભિનેત્રી છે જે રાણી લક્ષ્મીબાઇ જેવી હિટ સીરિયલમાં જોવા મળી છે. કૃતિકા પણ પરણિત છે અને તેમણે કોઇ બીજા સાથે નહી પરંતુ નિકિતન ધીરને પોતાના હમસફર બનાવ્યા છે. 2014 માં બંનેના લગ્ન થયા હતા. નિકિતન અત્યાર સુધી ચેન્નઇ એક્સપ્રેસ, મિશન ઇસ્તાનબુલ, દબંગ 2 અને રેડીમાં જોવા મળી છે.

Nivedita Bhattacharya: નિવેદિતા ભટ્ટાચાર્યએ જેમને પોતાના હમસફર સિલેક્ટ કર્યા છે તે પોપુલર એક્ટર કે કે મેનન છે, જેમણે પોતાના કેરિયરમાં વિલનના યાદગાર પાત્ર પણ ભજવ્યા છે. કે કે મેનનને ખૂબ પસંદ કરવામાં આવે છે. ફિલ્મોથી લઇને ઓટીટી સુધી અભિનેતા છવાયેલા છે.

Pooja Batra: એક્ટ્રેસ પૂજા બત્રાએ વિરાસત, હસીના માન જાયેગી જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. તો બીજી તરફ પૂજા બત્રાએ નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે જે ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ ભજવી ચૂક્યા છે. નવાબ ડોન 2, ટાઇગર જિંદા હૈ જેવી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

(5:41 pm IST)