Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

આવી સિરીયલોનું ભવિષ્ય ઉજળું: ભાનુ ઉદય ગોસ્વામી

ઓટીટી પ્લેટ ફોર્મ પર એક એકથી ચડીયાતી સિરીઝ અને ફિલ્મોને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. ક્રાઇમ બેઝ કહાનીઓને પણ વધુ પસંદ કરવામાં આવે છે. બીજી તરફ ટીવી પરદે પણ આવા શો મોટી માત્રામાં આપવામાં આવી રહ્યા છે. સ્ટાર ટીવીના શો રૂદ્રકાલે એક નવો ટ્રેન્ડ બનાવ્યો છે. આ શોમાં ડીસીપી રંજન ચિતૌડાનું પાત્ર ભજવી અભિનેતા ભાનુ ઉદય ખુબ જાણીતો બની ગયો છે. ભાનુ ઉદય ગોસ્વામી કહે છે કે આવા જ પ્રકારની સિરિયલનું ભવિષ્ય ઉજળુ છે. હવેના સમયમાં જેનો અંત નક્કી છે એ વાર્તા જોવાનું દર્શકો પસંદ કરશે. મહામારીએ આખી વિચારધારા બદલી નાખી છે. હવે લોકોને રોજબરોજની વાતોમાં રસ નથી, નવું જોઇએ છે અને એ એકસાઇટમેન્ટ એન્ડ હોય એવી જ જગ્યાએ મળે. ભાનુ ઉદય કહે છે, 'જો મને આ પ્રકારના રોલ ઑફર થશે તો હું ફરીવાર પણ નિભાવીશ. મને ટાઇપકાસ્ટ થવાની કોઇ જ બીક નથી, પણ હા, એક વાત નક્કી છે કે કહાનીનો ધી એન્ડ હોવો જોઈએ અને એને જ તમે વાર્તા કહી શકો.

(10:18 am IST)