Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મને કોઇ પસ્તાવો નથીઃ શ્વેતા તિવારી

ટીવી પરદાની સુંદરી શ્વેતા તિવારી હાલમાં ખતરો કે ખિલાડીમાં ભાગ લઇ રહી છે. તેણે કારકિર્દીની શરૂઆત આમ તો ૧૯૯૯થી કરી હતી. પરંતુ દર્શકો તેને કસોટી જિંદગી કીના તેના પ્રેરણાના પાત્રને કારણે વધુ ઓળખે છે. શ્વેતા કહે છે કારકિર્દીમાં મને કોઇપણ જાતનો પસ્તાવો નથી. હું બે દાયકાથી અભિનયના આ ફિલ્ડમાં છું. ૨૦૦૧થી માંડીને ૨૦૦૮ સુધી તેને દર્શકો પ્રેરણાના રોલમાં ખુબ પસંદ કરતાં રહ્યા હતાં. આ કારણે તે ઘર ઘરમાં જાણીતી બની હતી. એ પછી તેણે 'પરવરિશ', 'બેગુસરાઈ' અને 'મેરે ડેડ કી દુલ્હન' સહિતના શો કર્યા છે. તે 'બિગ બૉસ'માં પણ જોવા મળી હતી. તે કહે છે કે આટલાં વર્ષોમાં મેં જે પણ મેળવ્યું છે એનાથી હું ખુશ છું. તેમજ મેં કારકિર્દી દરમિયાન જે પણ ભૂલો કરી છે એનો પણ હું સ્વીકાર કરું છું. એમાંથી જ હું ઘણુંબધું શીખી છું. મેં મારી જાતને એક જ ભૂમિકામાં નથી બાંધી રાખી. મેં કદી પણ એક જ રોલ વારંવાર નથી કર્યા. હું જ્યાં સુધી કામ કરીશ ત્યાં સુધી અલગ-અલગ કામ કરતી રહીશ.

(10:07 am IST)