Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોના વધુ એક ક્લાકર્ને ભરખી ગયો : તમિલ સિંગર જી આનંદનું નિધન

મુંબઈ: કોરોના સમગ્ર દેશમાં ઘાટ લગાવી રહ્યો છે. કોવિડ યુગના ઘણા સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી દીધું છે, હવે તેલુગુ સિનેમાથી એક ખરાબ સમાચાર બહાર આવ્યા છે. તેલુગુ સિનેમાના દિગ્ગજ ગાયક જી.આનંદનું નિધન થયું છે. ચાહકોની સાથે સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર ઝી આનંદને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 67 વર્ષીય પીઢ પ્લેબેક સિંગર જી આનંદને કોવિડની ઝપેટમાં હતા ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. અહેવાલો અનુસાર કોરોનાને કારણે તેનું ઓક્સિજનનું સ્તર 55 પર પહોંચી ગયું હતું. સોશિયલ મીડિયા પર ચાહકોની સાથે સ્ટાર્સ પણ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ચિરંજીવીએ પણ સોશિયલ મીડિયા પર ઝી આનંદને શ્રદ્ધાંજલિ આપી છે.

(5:56 pm IST)