Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પાર્વતીજીનો રોલ કારકિર્દીમાં ખુબ મહત્વનોઃ આકાંક્ષા

ટીવી પરદે ધાર્મિક શોમાં અગાઉ સીતાજી અને લક્ષ્મીજીની ભુમિકા ભજવી ચુકેલી અભિનેત્રી આકાંક્ષા પુરી હવે ત્રીજી વખત પણ દેવીનો રોલ નિભાવી રહી છે. આ વખતે ટીવી શો વિઘ્નહર્તા ગણેશમાં તે પાર્વતીજીની ભુમિકા ભજવી રહી છે. તે કહે છે મને આ રોલની ઓફર નિર્માતા તરફથી મળતાં મેં ઓડિશન આપ્યું હતું. એ સાથે જ મને પાર્વતીજીના રોલ માટે પસંદ કરી લેવામાં આવી હતી. ગણેશજી મારા પ્રિય છે. આ કારણે આ રોલને હું મારી કારકિર્દીનો ખુબ મહત્વનો રોલ ગણી રહી છું. દેવી સિતા, લક્ષ્મીજી પછી હવે પાર્વતીનો રોલ મળતાં હું અત્યંત ખુશ છું. આ શકિતશાળી દેવીઓને સૌ કોઇ પ્રેમ, આદર અને શ્રધ્ધાથી જુએ છે. હું તો સમજું છે કે આ ત્રણેય દેવીઓ આપણા રોજના જીવનમાં રોલમોડલ સમાન છે. જો કે આ પાત્રો ભજવવા સરળ નથી. આકાંક્ષા કહે છે તમારે આવા રોલ ભજવતી વખતે ખુબ જ જવાબદારી રાખવી પડતી હોય છે. કારણ કે દર્શકોના મનમાં એક ચોક્કસ છાપ હોય છે. તેને ઠેંસ ન પહોંચે તેનો ખ્યાલ રાખવાનો છે. આ કારણે હું આવા રોલમાં ખુબ સાવધ રહીને કામ કરુ છું.

(10:04 am IST)