Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

છેલ્લે જે થવાનું હોય એ જ થાય છેઃ રકુલ

અભિનેત્રી રકુલપ્રિત સિંહ સાઉથ ઇન્‍ડસ્‍ટ્રીમાંથી બોલીવૂડમાં આવ્‍ય પછી પણ ત્‍યાંની ફિલ્‍મો કરી રહી છે. કારણ કે તેને દક્ષિણ ભારતીય ઇન્‍ડસ્‍ટ્રીએ જ સ્‍ટારડમ આપ્‍યું છે. હવે તે એવી અભિનેત્રી બનવા જઇ રહી છે જેની એક જ વર્ષમાં સાત સાત ફિલ્‍મો રિલીઝ થવાની હોય. રકુલપ્રિત કહે છે દર્શકો વારંવાર એક ને એક કલાકારને જોવાનું કદાચ પસંદ નથી કરતાં. પરંતુ મને આ બાબતનો કોઇ ડર નથી લાગતો. કેમ કે આપણે ગમે તેટલા આયોજનો કરીએ તો પણ છેલ્લે જે થવાનું હોય એ જ થઇને રહેતું હોય છે. કોરોનાનો જ દાખલો લઇ લો ને, કોઇએ કલ્‍પના પણ કરી નહોતી કે આ રીતે તે ત્રાટકશે. રકૂલની આ વર્ષે એટેક અને રનવે રિલીઝ થઇ ચુકી છે. આ બંને ફિલ્‍મો સિનેમાઘરોમાં આવી હતી. હવે તેની ડોક્‍ટરજી, થેન્‍ક ગોડ, છત્રીવાલી રિલીઝ થવાની છે. એ ઉપરાંતની બે ફિલ્‍મો પણ કતારમાં છે. રકુલ કહે છે ફિલ્‍મોની સફળતા અને નિષ્‍ફળતાનો મોટો મદાર દર્શકો ઉપર જ રહેલો હોય છે. રકુલની રનવે દર્શકો અને વિવેચકોએ વખાણી હતી.

(10:41 am IST)