Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

'કસોટી જિંદગી કી -2'ના દર્શકો માટે માઠા સમાચાર: આવતા મહિને બંધ થશે શો

મુંબઈ: ટીવીના લોકપ્રિય શો કસૌતી જિંદગી કી 2 ના ચાહકો માટે ખરાબ સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતાઓએ શોને બંધ કરવાનું નક્કી કર્યું છે. શોના અંતિમ એપિસોડ ઓક્ટોબરમાં ટેલિકાસ્ટ થશે. કહેવામાં આવી રહ્યું છે કે શોની જગ્યાએ 'સાથ નિભાના સાથિયા' લેવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર કેટલાક કલાકારોને વિશે માહિતી આપવામાં આવી છે. તેમાં એરિકા અને પાર્થ પણ શામેલ છે. તે ગત રવિવારે જણાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાકીના કાસ્ટ અને ક્રૂને આગામી બે-ત્રણમાં દિવસમાં જાણ કરવામાં આવશે. શોને લઈને ચાહકો ખૂબ ઉત્સાહિત હતા, જ્યારે તેમને ખબર પડી કે પાર્થ શોને અલવિદા નથી કહી રહ્યા. પાર્થ શૂટિંગના સેટ પર સતત આવી રહ્યો હતો. ઘણા કલાકારો તેમના દ્રશ્યોની રિહર્સલ પણ કરી રહ્યા હતા.

(5:30 pm IST)