Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

કલાકારોએ પોતાની જાતને પુરવાર કરવાની હોય છેઃ વાણી કપૂર

વાણી કપૂરે બોલીવૂડમાં એન્‍ટ્રી કર્યાને એક દસકા જેવો સમય થઇ ગયો છે. અહિ  પોતાના દમ પર તે આગળ વધી છે અને ઓળખ બનાવી છે. હાલમાં જ રિલીઝ થયેલી અને  પીટાઇ ગયેલી શમશેરા મળીને સાત ફિલ્‍મો  વાણીએ કરી છે. જો કે તે તેના કામથી ખુશ છે. તેણે કહ્યું હતું કે વાણી કહે છે કલાકારોએ દર શુક્રવારે નવી ફિલ્‍મોથી પોતાની જાતને પુરવાર કરવાની હોય છે. હું મારા દરેક પ્રોજેક્‍ટમાં મારુ સો ટકા યોગદાન આપુ છું. ફિલ્‍મ દર્શકોના મનોરંજન માટે બને છે. એક્‍ટર તરીકે તેમને ફિલ્‍મની સ્‍ટોરી પર ભરોસો હોવો જોઇએ. દિગ્‍દર્શક કરણ મલ્‍હોત્રાએ શમશેરાને ભવ્‍ય અને જાજરમાન બનાવવામાં કોઇ કસર છોડી નથી. શમશેરા અણીશુધ્‍ધ મનોરંજન આપતી ફિલ્‍મ છે. ફિલ્‍મમાં મેં સોનાનું પાત્ર ભજવ્‍યું છે. જો કે ફિલ્‍મ સફળ નથી રહી એ સોૈ જાણે છે. રણબીર કપૂર સાથે કામ કરવાનો મારો અનુભવ પણ ખુબ સરસ રહ્યો હતો. હું તેની સાથે સેટ પર જરાપણ ગભરાયેલી નહોતી રહી. કારણ કે તે જરાપણ અભિમાની નથી.

(10:46 am IST)