Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

નયનતારાએ લગ્ન બાદ પતિને ગિફ્‌ટમાં આપ્‍યો ૨૦ કરોડનો બંગલો

વિગ્નેશ તેની દુલ્‍હનને ૫ કરોડની વીંટી ભેટમાં આપી છે, આ સિવાય નયનતારાએ લગ્નમાં જે ઘરેણાં પહેર્યા હતા તેની કિંમત લગભગ ૩ કરોડ રૂપિયા હતી, જે તેના માટે ખરીદ્યા હતા

નવી દિલ્‍હી, તા.૧૩: સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી નયન તારા અને નિર્દેશક વિગ્નેશ શિવને લગભગ ૬ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૯ જૂને લગ્ન કર્યા હતા. નયનથારા અને વિગ્નેશ શિવનના ભવ્‍ય લગ્ન તમિલનાડુના મહાબલીપુરમના એક વૈભવી રિસોર્ટમાં થયા હતા. લગ્નની સુંદર તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેના આ ભવ્‍ય લગ્નમાં ઘણા સ્‍ટાર્સ પહોંચ્‍યા હતા. સુપરસ્‍ટાર રજનીકાંતથી લઈને બોલિવૂડના ‘બાદશાહ' શાહરૂખ ખાને કપલને આશીર્વાદ આપ્‍યા હતા. જ્‍યારે કોલીવુડના પ્રખ્‍યાત કપલ લગ્નના બંધનમાં બંધાયા, ત્‍યારે તેઓએ એકબીજા પર કરોડોની ભેટો વરસાવી.
નયનતારાએ તેના પતિને ૨૦ કરોડની ભેટ આપીઃ મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, અભિનેત્રીએ તેના પતિ વિગ્નેશને ૨૦ કરોડ રૂપિયાનો આલીશાન બંગલો ગિફ્‌ટ કર્યો છે. દસ્‍તાવેજીકરણની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. આ બંગલો વિગ્નેશ શિવનના નામે નોંધાયેલ છે. રિપોર્ટ્‍સ અનુસાર, નયનતારા હવે તેના પતિ વિગ્નેશ સાથે આ બંગલામાં રહેશે.
ભાભીને આપી આ સુંદર ગિફ્‌ટઃ રિપોર્ટ્‍સ અનુસાર અભિનેત્રીએ તેના સાસરિયાઓને પણ ઘણી ગિફ્‌ટ આપી છે. નયનતારાએ વિગ્નેશની બહેન એટલે કે તેની ભાભીને સોનાના દાગીના ભેટમાં આપ્‍યા છે. GQ India અનુસાર, તેણે તેની ભાભીને ૩૦ સોનાના ઘરેણાં ગિફ્‌ટ કર્યા છે. આ સાથે અભિનેત્રીએ નજીકના સંબંધીઓને ઘણી ભેટ આપી છે.
વિગ્નેશે નયનતારાને આપી હતી ૫ કરોડની વીંટીઃ માત્ર નયનતારા જ નહીં પરંતુ વિગ્નેશે પણ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. સમાચાર મુજબ, વિગ્નેશ તેની દુલ્‍હનને ૫ કરોડની વીંટી ભેટમાં આપી છે. આ સિવાય નયનતારાએ લગ્નમાં જે ઘરેણાં પહેર્યા હતા તેની કિંમત લગભગ ૩ કરોડ રૂપિયા હતી, જે વિગ્નેશ તેના માટે ખરીદ્યા હતા.
નયનતારા કેટલી મિલકત ધરાવે છે? નયનતારાની સંપત્તિની વાત કરીએ તો ભારતીય વાયુસેના અધિકારીના ઘરે જન્‍મેલી અભિનેત્રીની કુલ સંપત્તિ ૭૧ કરોડ રૂપિયાની નજીક છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, તે દરેક ફિલ્‍મ માટે લગભગ ૩-૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય નયનતારા બ્રાન્‍ડ એન્‍ડોર્સમેન્‍ટથી પણ ઘણી કમાણી કરે છે. અભિનેત્રી પાસે તિરુવાલામાં આલીશાન બંગલો અને કોચીમાં એક ફ્‌લેટ પણ છે.લગ્ન પછી ઈન્‍ટિમેટ સીન નહીં કરેઃ રિપોર્ટ્‍સ અનુસાર અભિનેત્રી હવે ફિલ્‍મોમાં ઈન્‍ટિમેટ સીન નહીં કરે. નયનતારાએ ઓન-સ્‍ક્રીન પુરૂષ કલાકારો સાથે રોમેન્‍ટિક સીન ન કરવાનો નિર્ણય લીધો છે. અભિનેત્રી તેના દિગ્‍દર્શક પતિ વિગ્નેશ સાથે ક્‍વોલિટી ટાઈમ વિતાવવા માટે બ્રેક લેશે. જો કે હજુ સુધી અભિનેત્રી તરફથી આ અંગે કોઈ સત્તાવાર સમર્થન આવ્‍યું નથી. તમને જણાવી દઈએ કે નયનતારાની આગામી ફિલ્‍મ ‘જવાન‘ છે, જેમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળશે.

 

(4:11 pm IST)