Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

એ વખતે સતત જાકારો મળતો હતોઃ વિદ્યા બાલન

બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાં સામેલ વિદ્યા બાલને અનેક હિટ ફિલ્મો આપતાં હવે તે એ કક્ષાએ છે કે પોતાની ઇચ્છા મુજબની ફિલ્મોમાં કામ કરી શકે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે વિદ્યાને બોલીવૂડમાં સતત જાકારો મળતો હતો. અહિ તેની ખુબ જ અવગણના થતાં તે એટલી હદે દુઃખી થઇ ગઇ હતી કે દરરોજ રાત્રે રડતાં રડતાં ઉંઘી જતી હતી. તાજેતરમાં એક વેબસાઇટ સાથેની વાતચીતમાં વિદ્યાએ ખુલાસો કર્યો હતો કે ૧૯૯૫માં તેણે ટીવી સિરીયલ હમ પાંચથી અભિનય શરૂ કર્યો હતો. એ પછી છેક ૨૦૦૩માં બંગાળી ફિલ્મથી સિનેમામાં એન્ટ્રી કરી હતી. બૉલિવૂડમાં વર્ષ ૨૦૦૫માં ફિલ્મ 'પરિણીતા' તેને મળી હતી. પરંતુ એ પહેલા તેને સતત રિજેકશનનો સામનો કરવો પડ્યો હતો. દ્વારા પદાર્પણ કર્યું હતું. તે કહે છે ત્યારે હું બહુ નિરાશ થઇ જતી હતી. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સતત અસ્વીકારનો સામનો કર્યો ત્યારે હું દરરોજ રાત્રે રડી પડતી હતી. મને લાગતું હતું કે હું કદી કલાકાર બનીજ નહિ શકું. પણ પછી દરરોજ સવારે હું સૂર્યના કિરણો જોઇને આશાને જીવીત રાખતી હતી.

(10:10 am IST)