Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પંજાબી ગાયક મનમિત સિંહની મળી લાશ

 મુંબઈ: હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના કારેરી તળાવ વિસ્તારમાંથી સોમવારે ધરમશાળામાં ક્લાઉડબર્સ્ટની ઘટના બાદ ગુમ થયેલ પંજાબી સુફી ગાયક મનમીત સિંહની લાશ મળી આવી છે. અહેવાલો અનુસાર, શનિવારે મનમિત સિંહ તેના ભાઈ કર્ણપાલ અને કેટલાક મિત્રો સાથે ધર્મશાળા પહોંચ્યો હતો. ત્યાં રવિવારે બધા જ ધર્મશાળાથી કારેરી તળાવ ગયા હતા. રાત્રે વરસાદ શરૂ થયો ત્યારે બધા ત્યાં રોકાઈ ગયા. સોમવારે સવારે જ્યારે બધા પાછા ફરવા લાગ્યા ત્યારે કારેરીમાં પર્વત પરની નોલી ડ્રેઇન પાર કરતી વખતે મનમીત બધાની સામે પાણીમાં ગરકાવ થઈ ગયો. પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બચાવ ટીમ કારેરી પહોંચી હતી. પોલીસ અને બચાવ ટીમના જવાનો સતત તેની શોધમાં હતા. મંગળવારે મનમીતની લાશ મળી આવી હતી.

(5:39 pm IST)