Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જરૂરિયાતમંદ લોકોને રોજગાર આપશે મનોજ વાજપેયી: શરૂ કર્યું 'શ્રમિક સન્માન' અભિયાન

મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા મનોજ વાજપેયી જરૂરીયાતમંદ લોકોને રોજગાર આપવા જઈ રહ્યા છે. કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. બોલિવુડના કલાકારો આવા સમયમાં લોકોને મદદ કરી રહ્યા છે. સોનુ સૂદ પછી મનોજ બાજપેયી પણ નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે આગળ આવ્યા છે.મનોજ તેની પત્ની સાથે બેરોજગારોની મદદ માટે આગળ આવ્યો છે. બેરોજગારોને કામ પૂરું પાડવા માટે તે ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. આ ટ્રસ્ટ સાથે મળીને તેમણે એક નવું અભિયાન 'શ્રમિક સન્માન' શરૂ કર્યું છે. આ દ્વારા તે દેશના તમામ ભાગોમાં કેટલાક નાના ઉદ્યોગો શરૂ કરશે અને બેરોજગારને રોજગાર આપશે.

(5:21 pm IST)