Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જાવેદ અખ્તર બદનક્ષી કેસ: જો કંગના રનૌત ફરી કોર્ટમાં નહીં પહોંચે તો ધરપકડ વોરંટ જારી

મુંબઈ: બોલિવૂડના ગીતકાર જાવેદ અખ્તરની બદનક્ષીના કેસમાં અભિનેત્રી કંગના રનૌત  આજે મુંબઈના અંધેરીમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવાની હતી. જોકે, કંગનાની કથળતી તબિયતને કારણે તે કોર્ટમાં પોતાની હાજરી નોંધાવી શકી નહોતી. અભિનેત્રીની ગેરહાજરી અંગે કોર્ટે કહ્યું કે જો કંગના આગામી તારીખ 20 સપ્ટેમ્બરે હાજર થવામાં નિષ્ફળ જશે તો તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે.

(5:10 pm IST)