Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

તમારી ક્ષમતા અને સપનાઓ પર ભરોસો રાખવો પડેઃ રાધિકા

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલીવૂડમાં નેપોટિઝમનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. અવાર-નવાર આ મામલે વિવાદ સર્જાતા રહે છે. અનેક કલાકારો આ મામલે પોતાનો વિચાર રજૂ કરી ચુકયા છે. હવે અભિનેત્રી રાધિકા મદાને પણ કહ્યું છે કે બોલીવૂડમાં કામ કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. મેં કારકિર્દી શરૂ કરી હતી.  ત્યારે એવું નહોતું કે હું મારી મનપસંદ સ્ક્રિપ્ટ મુજબ ગમે તે નિર્દેશક કે મારા પસંદગીના બેનર સાથે કામ કરી શકું. ત્યારે મને જે કામ મળતું હતું એ જ સારુ લાગતું હતું. બહારથી અહિ આવ્યા હોય તેના માટે અહિ સતત પડકાર રહેલો છે. એક વખતે તો સ્ટારકિડને કારણે મારા હાથમાંથી પ્રોજેકટ લઇ લેવાયો હતો. મારું ઓડિશન પણ સારી રીતે કરાયું નહોતું. મને ત્યારે એવું કહેવાયું હતું કે હું સારી કલાકાર નથી અને બહુ સુંદર પણ નથી. આવું થાય ત્યારે તમારો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. પરંતુ ત્યારે તમારે નક્કી કરવાનું હોય છે તમે તમારી ક્ષમતાને કારણે ચોક્કસ આગળ વધી શકશો. ક્ષમતા અને સપનાઓ પર ભરોસો રાખવો પડે છે. રાધિકાએ પટાખા, મર્દ કો દર્દ નહિ હોતા, સ્ટુડન્ટ ઓફ ધ યર-૨, અંગ્રેજી મિડીયમમાં કામ કર્યુ છે. હવે તે ફિલ્મ શિદ્દતમાં જોવા મળશે.

(9:55 am IST)