Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

એ અમારા માટે ફાયદાકારક બન્યું: રોહિતાશ્વ ગૌર

ભાભીજી ઘર પર હૈ ટીવી શોમાં મનમોહન તિવારીનો રોલ નિભાવી ઘર ઘરમાં જાણીતા બનેલા અભિનેતા રોહિતાશ્વ ગોૈર ફરીથી ટીવી શોનું શુટીંગ શરૂ થતાં ખુશ થઇ ગયા હતાં. તેણે કહ્યું હતું કે લાંબો સમય ઘરમાં રહેવું ફાવતું નહોતું. હું વર્કહોલિક છું, સેટ પર પાછા આવીને શાંતિ મળી છે. નવુ સ્થળ નવો સેટ નવી જ ઉર્જા આપે છે. અમે પહેલા લોકડાઉનને તો પસાર કરી દીધું હતું. પરંતુ બીજી લહેરમાં ફરી લોકડાઉન આવશે એવું વિચાર્યુ પણ નહોતું. દરેક અભિનેતાઓ માટે આ બીજો ઝટકો હતો. કોઇપણ ઘરમાં બેસવા ઇચ્છતું નહોતું. સેટ પર જ અભિનેતાઓને કામ કરીને સમય પસાર કરવાનો હોય છે. જો કે નિર્માતા સંજય અને બિનાફેરે અગાઉથી જ આ શોના અનેક એપિસોડ તૈયાર રાખ્યા હોઇ જેથી અમારે બહુ મુશ્કેલી વેઠવી પડી નહોતી. ભવિષ્ય માટે એપિસોડ તૈયાર રાખવાનું અમારા માટે ફાયદાકારક બન્યું હતું. લોકડાઉન પછી ફરી કામ શરૂ કરવામાં હું થોડો ડરી ગયો હતો. પરંતુ હવે વધુ સતર્ક રહી બધા કામ કરે છે. 

(10:20 am IST)