Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કપિલ શર્મા શોમાં હવે સુનિલ ગ્રોવર (ગુથ્‍થી) ફરીવાર જોવા મળશેઃ બંને વચ્‍ચે સમાધાન થતા જુના કલાકારો સાથે ફરી નવા ફોર્મેટ સાથે શો શરૂ થશે

અમદાવાદઃ કપિલ શર્મા શોના ફેન્સ હવે ફરીથી ખડખડાટ હસતાં થઈ જશે. કેમ કે, એક નવા ઉત્સાહ, એનર્જી અને ક્રિએટીવીટી સાથે કપિલ શર્મા શોની ધમાકેદાર શરૂઆત થશે. જાણકારી મુજબ કપિલ શર્મા શો હવે નવા ફર્મેટ સાથે ફરી વાપસી કરશે. જો કે, ખુશીની વાત તો એ છે કે, આ શોમાં ફરી સુનિલ ગ્રોવરની એન્ટ્રી થશે.  કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે સમાધાન થઈ ગયું છે.

કપિલ શર્મા શોમાં નાના પરદાથી લઇને બોલીવુડના તમામ સેલેબ્સ પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવા આવે છે. ભારત જ નહી પરંતુ વિદેશી લોકો પણ કપિલના અને તેના શોના ફેન છે. કોમેડિથી ભરપૂર શો એટલે કપિલ શર્મા શો. આ શો હવે જૂના કલાકારો સાથે ફરી નવા ફોર્મેટ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. આ સમાચાર જાણી દરેક ફેન્સનું દિલ ખુશ થી જશે. કેમ કે, શોની જાન ગણાતા એવા સુનિલ ગ્રોવર ફરી આ શોમાં પરત ફરી રહ્યા છે. હવે ફરી શોમાં સુનિલ ગ્રોવર કોમેડી કરતાં નજરે પડશે.

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ફરી એકસાથે

જાણકારી મુજબ, કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ફરી એકસાથે એક જ પડદા પર જોવા મળવાના છે. કપિલ અને સુનિલ જો ફરી એકવાર એક જ શોમાં જોવા મળશે ત્યારે કયા હદે કોમેડી અને ધમાલ થશે તે સૌ કોઈ જાણે છે. આ બંને સ્ટારને જોડે જોવા માટે ફેન્સને ઘણા લાંબા સમયથી રાહ જોવી પડી છે. ત્યારે આખરે આ બંને કલાકારો હવે સાથે જોવા મળશે તેવી માહિતી મળી રહી છે.

સલમાનના પ્રયાસો થયા સફળ

એક રિપોર્ટ મુજબ સલમાન ખાને કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે સુલાહ કરાવી દીધી છે. સલમાન ખાનના સુનિલ ગ્રોવર સાથે સારા સંબંધ છે ત્યારે સલમાને જ સુનિલને ફરી કપિલ શર્મા શોમાં વાપસી કરવાનું કહ્યું છે.  ધ કપિલ શર્મા શોનો પ્રડ્યુસર બીજો કોઇ નહી પરંતુ સલમાન ખાન છે. માટે સલમાને આ શોમાં સુનિલ ગ્રોવરને વાપસી કરવા કહ્યું છે.

નવી સિઝન થશે શરૂ

સૂત્રોથી મળતી જાણકારી મુજબ કપિલ શર્મા શોની આ સિઝન હવે બંધ થઈ ગઈ છે. આ સિઝન બાદ હવે નવી સિઝન શરૂ થવા જઈ રહી છે. પરંતુ નવા એપિસોડ માટે ફેન્સે થોડી રાહ જોવી પડશે. કપિલ અને સુનિલ વચ્ચે ઝઘડો થઈ જતાં છેલ્લા 3 વર્ષથી બંને કલાકાર સાથે ન હતા. જો કે, હવે આવનારી નવી સિઝન ફેન્સ માટે અનેક શાનદાર સરપ્રાઈઝ લઈને આવશે.

શોમાં આ છે કલાકારો

કપિલ શર્મા શોમાં કપિલ શર્મા સાથે કિકૂ શારદા, કૃષ્ણા અભિષેક અને અર્ચના પુરણ સિંહે લોકોના દિલ જીત્યા છે. લોકડાઉન બાદ કપિલ શર્મા શો ઓડિયન્સ વગર જ ચાલી રહ્યો છે. છતાં પણ શોને લોકોએ ખૂબ સપોર્ટ કર્યો છે અને તેથી આ શોની પોપ્યુલારિટી સહેજ પણ ઓછી નથી થઈ.

(5:20 pm IST)