Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાને છોડી અભિનયની દુનિયા: હવે બનશે નિર્દેશક

મુંબઈ: બોલિવૂડ એક્ટર આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાને અભિનય છોડવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેનારા ઇમરાને હવે અભિનય છોડી દીધો છે. ઇમરાનના નજીકના મિત્ર અને અભિનેતા અક્ષય ઓબેરોયે એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું છે. તેમના કહેવા પ્રમાણે હવે ઇમરાન ખાને અભિનય નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું કે મારો બેસ્ટ ફ્રેન્ડ ઇમરાન ખાન હવે એક્ટર નથી. તેણે અભિનય છોડી દીધો છે. તેઓ મારા નજીકના મિત્રો છે. હું સવારના ચાર વાગ્યે તેમનેકોલ પણ કરી શકું છું. અમે એકબીજાને 18 વર્ષથી ઓળખીએ છીએ. આ સાથે જ, અભિનય બાદ ઇમરાનની ભાવિ યોજના શું છે તે સવાલનો અક્ષયે સ્પષ્ટ જવાબ આપ્યો નથી. પરંતુ તેને પૂરી આશા છે કે ઇમરાન અભિનય છોડી દિશાનિર્દેશની દુનિયામાં પ્રવેશી શકે. ઇમરાન ખાનને સિનેમા વિશે સારી સમજ છે, તેથી તે પોતાની કોઈ ફિલ્મનું દિગ્દર્શન કરી શકે છે. પરંતુ હમણાં માટે ઇમરાન ખાન લાઈમલાઈટથી દૂર રહેવા જઇ રહ્યો છે. સાથે જ અક્ષય પણ માને છે કે ફ્લોપ ફિલ્મો એ દરેકની કારકિર્દીનો એક ભાગ છે. ઇમરાન ખાને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

(3:34 pm IST)