Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કેટલુ નહિ કેવું કામ કર્યુ તે મહત્વનું: દિવ્યેન્દુ

મિરઝાપુર વેબ સિરીઝમાં મુન્ના ત્રિપાઠીનું પાત્ર ભજવી જાણીતો બનેલો અભિનેતા દિવ્યેન્દુ શર્મા કહે છે કોણે કેટલી હિટ આપી એ મહત્વનું નથી, પણ તેનો જે તે પાત્રને લઇને કામ કેવું હતું એ વધુ મહત્વનું છે. સંખ્યા કરતાં રોલ કેવો નિભાવ્યો તેને મહત્વ આપતાં દિવ્યેન્દુ કહે છે કે હું એ કારણે નસિબદાર છું કે મને દર્શકોએ ભરપુર પ્રેમ આપ્યો છે. દિવ્યેન્દુએ અભિનયની શરૂઆત પ્યાર કા પંચનામા થકી કરી હતી. તે કહે છે હું ફકત સારુ કામ કરીને લોકોને મનોરંજનનો ભરપુર ડોઝ આપવા ઇચ્છુ છું. લોકો મને મારા કામથી ઓળખે તે મારા માટે વધુ યોગ્ય છે. મેં કેટલી હિટ સિરીઝ કે ફિલ્મ આપી એ વધુ મહત્વનું નથી. કવોલીટી પર મને ભરોસો છે, કવોન્ટીટી પર નહિ. દિવ્યેન્દુએ કહ્યું હતું આપણી આજુબાજુમાં હાલ અનેક સારી કન્ટેન્ટ છે. અભિનેતા તરીકે ઉભરી ઉઠવાનો આ સારો સમય ચાલી રહ્યો છે. દિવ્યેન્દુ હવે નવી સિરીઝ બિચ્છુ કા ખેલમાં જોવા મળશે. 

(9:40 am IST)