Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સુશાંતસિંહ રાજપૂત ર૬-૧૧ ના હુમલા ઉપર આધારિત ફિલ્મમાં અભિનય કરવાનો હતો : મૃત્યુના એક દિવસ અગાઉ ડાયરેકટર નિખીલ અડવાણી સહિતના સાથે ૭ મિનીટ કોન્ફરન્સ કોલમાં વાત કરી હતી

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધે દરરોજ કઈંક ને કઈંક સમાચાર ચર્ચામાં રહે છે. સુશાંતના મૃત્યુ કેસની તપાસ સીબીઆઈ તરફથી હજુ પણ ચાલુ છે. બધા વચ્ચે સુશાંત વિશે એક નવો ખુલાસો થયો છે. રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ પહેલા એક ખાસ ફિલ્મ પર કામ કરવાની ચર્ચા કરી રહ્યો હતો

સુશાંત સિંહ રાજપૂતે મૃત્યુના બરાબર એક દિવસ પહેલા ફિલ્મ અંગે મેકર્સ સાથે વાત કરી હતી. સુશાંત, ડાઈરેક્ટર નિખિલ અડવાણીની ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર હતો. કહેવાય છે કે ફિલ્મ 26/11 હુમલા પર આધારિત હતી. કહાની આતંકી અજમલ કસાબની આજુબાજુ દેખાડવામાં આવત. ફિલ્મ અંગે સુશાંત ખુબ ઉત્સાહિત હતો

અત્રે જણાવવાનું કે ફિલ્મને લઈને સુશાંતની 13 જૂનના રોજ ટેલેન્ટ એજન્સીના ઉદય સિંહ ગૌરી સાથે વાત થઈ હતી. ગૌરીએ ફિલ્મમેકર નિખિલ અડવાણી, પ્રોડ્યુસર રમેશ તોરાની અને સુશાંતની પરસ્પર વાત કરાવી હતી. કહેવાય છે કે એક કોન્ફરન્સ કોલ હતો. ચારેય જણે સાત મિનિટ સુધી વાત કરી હતી. જે વધુ લાંબી નહતી

દરમિયાન સુશાંતે મેકર્સ સાથે પોતાની જિજ્ઞાસા અને કયા પ્રકારે તે ફિલ્મમાં કામ કરવા માંગે છે તે શેર કર્યું હતું. સાથે મામલે વિસ્તારથી વાત કરવા માટે ડેટ પણ ફિક્સ કરાઈ હતી. જે મુજબ 15 જૂનના રોજ તેમની વચ્ચે ફરીથી ફિલ્મ પર ચર્ચા થવાની હતી. પરંતુ તેના બરાબર એક દિવસ પહેલા 14 જૂને સુશાંતનું નિધન થઈ ગયું

(5:16 pm IST)