Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

અંકિતા ફરી આવી રહી છે અર્ચના બનીને

એકતા કપૂરના ટીવી શો પવિત્ર રિશ્તા ૨.૦ના કલાકારો જાહેર થઇ ગયા પછી હવે શુટીંગ પણ શરૂ થઇ ગયું છે. આ વખતે શો ડિજીટલ રહેશે. આ સિઝનમાં અંકિતા લોખંડે સાથે શાહિર શેખને લેવામાં આવ્યો છે. જોવા મળશે. ડિજિટલ પ્લેટફોર્મ એએલટી બાલાજી પર આવનારા આ શોમાં શાહિર માનવની ભૂમિકામાં જોવા મળશે. માનવની ભુમિકા અગાઉ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે નિભાવી હતી. પવિત્ર રિશ્તા સિરીયલે જ તેને ઓળખ આપી હતી. એ પછી માનવનો રોલ હિતેન તેજવાણીએ નિભાવ્યો હતો. અંકિતા શોમાં અર્ચનાના રોલમાં ફરી એક વખત જોવા મળવાની છે. માનવની માતાના રોલ માટે જાણીતી બનેલી ઉષા નાડકર્ણી પણ પવિત્ર રિશ્તા ૨.૦માં જોવા મળવાની છે. સાથે રણદીપ રાય પણ ખાસ રોલમાં છે. ડિરેકટર આદિત્ય સુરનાએ શાહિર શેખની પસંદગી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ સંપૂર્ણ ડિજિટલ છે. આ શોની બીજી સિઝન બનાવવી એ બધા માટે એક પડકાર છે. નવા માનવ એટલે કે શહિર શેખ સાથે અર્ચનાની ઓનસ્ક્રીન જોડી કેવોં રંગ જમાવી શકે છે તે જોવું રહ્યું.

(10:15 am IST)