Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

તો પ્રેક્ષકો ટીકા કરે જ : પંકજ ત્રિપાઠી

બહુમુખી પ્રતિભા ધરાવતાં અભિનેતા પંકજ ત્રિપાઠીને લોકોએ લગભગ દરેક પાત્રમાં ખુબ પસંદ કર્યા છે. પછી એ મિરઝાપુરના કાલિનભૈયા હોય કે ક્રિમીનલ જસ્‍ટીસના એડવોકેટ માધવ મિશ્રા હોય. પંકજે બરેલી કી બરફી, ગુંજન સક્‍સેના, ગેંગ્‍સ ઓફ વાસેપુર સહિતમાં જોરદાર ભુમિકા નિભાવી છે. ક્રિમીનલ જસ્‍ટીસની ત્રીજી સિઝનમાં તેણે ફરીથી માધવ મિશ્રાના પાત્રથી જમાવટ કરી છે. પંકજ કહે છે આ શોમાં મારા પાત્ર માધવ મિશ્રાનો સમાંતર ટ્રેક ચાલે છે. મિશ્રાજીની સેન્‍સ ઓફ હ્યુમર  શો અને દર્શકો માટે એક પ્રકારની કોમિક રિલીફ બની રહી છે. આ સિરીઝ દેશના જુવેનાઇલ જસ્‍ટીસ સિસ્‍ટમ (સગીરો માટેના કાયદા) ઉપર પ્રકાશ પાડે છે. પંકજ કહે છે ઓટીટી પર હાલમાં ગાડરીયા પ્રવાહ જેવું ચાલી રહ્યું છે. પરંતુ પ્રેક્ષકોને કોઇપણ જોનરનો ઓવરડોઝ લાગવા માંડે તો એ તેની ટીકા કર્યા વગર રહેતાં નથી. મેકર્સએ પ્રેક્ષકોને સ્‍વીકાર્ય હોય અને જેટલા પ્રમાણમાં ગમતું હોય એટલુ જ પીરસવું જોઇએ. પંકજે મિરઝાપુર-૩ અને ફૂકરે-૩નું શુટીંગ પુરુ કર્ય છે.

(10:18 am IST)